



વેસ્ટ બંગાળના કોલકત્તા થી “સેવ સોઇલ” (માટી બચાવ) ના સંદેશ સાથે ભારત ભ્રમણે નીકળેલ સાયકલિસ્ટ અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
૧ મે ૨૦૨૨ ના રોજ ૧૭ વર્ષીય સાયકલીસ્ટ “સાહિલ જા” અત્યારે સુધી ૧૦ રાજ્યમાં ભ્રમણ કરી ૨૦૦૦ કિલોમીટર નો અંતર કાપી અંકલેશ્વર ખાતે આવી લોકો ને માટી બચાવો અભિયાનના મહત્વ અંગે વિસ્તૃત જાણકારી આપી
ગુજરાત સ્થાપના દિવસ ૧ મે ૨૦૨૨ ના રોજ વેસ્ટ બંગાળના કોલકત્તા થી “સેવ સોઇલ” (માટી બચાવ) અભિયાનને સમર્થન આપવા તેમજ લોકો સુધી આ અંગે જાગૃતિ ફેલાવવા માટે ભારત ભ્રમણ પર નીકળેલ સાયકલિસ્ટ “સાહિલ જા” એ ૯ મહીના ૭ દિવસ માં ૧૦ રાજ્યમાં ભ્રમણ કરી ૨૦૦૦ કિલોમીટર નો અંતર કાપી અંકલેશ્વર ની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યો હતો.
વેસ્ટ બંગાળ,આંધ્રપ્રદેશ,ઝારખંડ, તેલંગણા,ઓરિસ્સા,તમિલનાડુ,કેરેલા કર્ણાટક,ગોવા અને મહારાષ્ટ્ર બાદ ગુજરાત ના અંકલેશ્વર માં ૧૭ વર્ષીય “સાહીલ ઝા” આવી પહોંચ્યા હતા.૧ મે ૨૦૨૪ ના રોજ “સેવ સોઇલ” (માટી બચાવ) નો સંદેશ ૪૦૦ કરોડ લોકો સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક પૂર્ણ કરી સાઈકલીસ્ટ પરત વેસ્ટ બંગાળના કલકત્તા ખાતે જશે.વર્તમાન સમયમાં જમીનો માં ફોર્ટીલિટી ઘટવા ના કારણે જમીન તેમજ રેતી નું પ્રમાણ વધતા માટી બચાવ અભિયાન ને વેગ મેળે તે જરુરી હોવાનું જણાવી લોકોની સાથે સરકાર પણ માટી બચાવવા માટે જરૂરી પોલિસી લાગુ કરે તે માટે ભારત ભ્રમણ પર નીકળ્યા હોવાનો મીડિયા સમક્ષ જણાવ્યું હતું
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી