Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsઅંકલેશ્વર

ભરૂચમાં જિલ્લા પં. હસ્તકની‎ 914 શાળામાં સર્વે શરૂ કરાયો‎

ભરૂચમાં જિલ્લા પં. હસ્તકની‎ 914 શાળામાં સર્વે શરૂ કરાયો

 

અંકલેશ્વર તાલુકાના બોરભાઠા ગામે આવેલી શાળા ભરૂચ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત છે. આ શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસના બદલે શૌચાલય તોડવાની કામગીરીમાં જોતરી દેવાયાં હતાં. અનુભવી મજૂરો જે કામગીરી કરતાં હોય છે તે કામગીરી બાળકો પાસે કરાવવાની ગંભીર બેદરકારી શાળાના સ્ટાફે દાખવી છે જેના પરિણામે એક બાળક હોસ્પિટલમાં જીંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઇ રહયો છે.

શાળાના પટાંગણમાં આવેલાં જુના શૌચાલયને તોડવા માટે મજૂરો બોલાવવાના બદલે શાળાના સ્ટાફે વિદ્યાર્થીઓને કામ સોંપી દીધું હતું. દિવાલ તુટી જવાથી સ્લેબને કોઇ આધાર નહિ રહેતાં તે ધડાકાભેર તુટી ગયો હતો. 200 કીલોથી વધારે વજન ધરાવતો સ્લેબની નીચે 13 વર્ષીય શિવમ વસાવા દબાય ગયો હતો. આ ઘટના બાદ શિક્ષણજગતમાં ઉહાપોહ મચી ગયો છે. ભરૂચ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત 914 જેટલી શાળાઓ આવેલી છે. આમાંથી મોટાભાગની શાળાઓ જર્જરીત હાલતમાં છે ત્યારે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિએ શાળાઓનો સર્વે હાથ ધર્યો છે

આ શાળાઓમાં 1.10 લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયાં હોવાથી તેમના માથે પણ જોખમ રહેલું છે. ભરૂચ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પેશ વસાવાએ જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લામાં જર્જરીત શાળાઓ સંદર્ભમાં સર્વેની કામગીરી ચાલી રહી છે. દર વર્ષે અમે સરેરાશ 10 થી 12 શાળાઓનું રીપેરીંગ કરાવતાં હોય છે. અંકલેશ્વરના બોરભાઠા ગામમાં બનેલી ઘટના બાદ તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યાં છે. સ્લેબ પડવાના કારણે ઇજા પામેલા બાળકના ખબર અંતર લેવામાં આવ્યાં છે. તેની સારવાર ઉપર અમારી નજર છે. ઘટના કઇ રીતે બની અને કોણ જવાબદાર છે તે નકકી કરી કડક કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

વેસ્ટ બંગાળના કોલકત્તા થી “સેવ સોઇલ” (માટી બચાવ) ના સંદેશ સાથે ભારત ભ્રમણે નીકળેલ સાયકલિસ્ટ અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

bharuchexpress

નેશનલ પ્રેસ એસોસિએશનની ભરૂચ ખાતે બેઠક મળી.

bharuchexpress

અંકલેશ્વર નગર પાલિકા કર્મીઓની બીજા દિવસે પણ હડતાળ યથાવત

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़