



અંકલેશ્વરના નર્મદા કાંઠે આવેલા 4 ગામમાંથી 12 જેટલા વીજ ટ્રાન્સફોર્મર તસ્કરોએ તોડી પાડ્યાહતા. 3 મહિના દરમિયાન અલગ-અલગ સ્થળેથી ખેતી વિષયક વીજની ચાલુ લાઈન પર ટ્રાન્સફોર્મર તોડી પાડી કોપર ચોરી ગયા હતા. 81 હજારની નુકશાની અને 2.84 લાખ ઉપરાંતની કોપર ચોરી થઈ હતી. અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસે 3.65 લાખ રૂપિયાની કોપર ચોરીની ફરિયાદ નોંધી છે.
અંકલેશ્વર તાલુકાના નર્મદા નદી કાંઠા વિસ્તારમાં આવેલા જુના દીવા, જૂની સુરવાડી, જૂના બોરભાઠા બેટ, નવી દીવી કોપર ચોરોએ છેલ્લા 3 મહિનામાં તરખાટ મચાવ્યો હતો. એક પછી એક 12 જેટલા વીજ ટ્રાન્સફોર્મર તોડી પાડ્યા હતા. ગત 2 જી ઓગસ્ટથી 2 જી ઓક્ટોબર દરમિયાન તસ્કરોએ આ વિસ્તારમાં ચોરીને અંજામ આપ્યો હતો. ઘટના મામલે ખેડૂતો દ્વારા વીજ નિગમ કચેરી ખાતે અરજી વડે જાણ કરી હતી.
આ બનાવ અંગે DGVCL દ્વારા સ્થળ તપાસ કરી, પંચકેસ કરી અંતે શંભુ બર્નવાલ દ્વારા અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપી હતી. જેથી પોલીસે વીજ ટ્રાન્સફોર્મર તોડી અંદર સ્ટડ તોડી ઓઇલ ઢોળી 81 હજાર રૂપિયાની નુકશાની નોંધી હતી. આ ઉપરાંત અંદર કોપર કોઇલ અંદાજિત 2.84 લાખથી વધુ રૂપિયાની ચોરી મળી કુલ રૂ. 3.65 લાખથી વધુની ચોરી અને નુકશાનીની ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી