Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsઅંકલેશ્વર

અંકલેશ્વરની ગૌતમપાર્ક સોસાયટીના બંધ મકાનમાં રૂ.1.59 લાખની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર

અંકલેશ્વરની ગૌતમપાર્ક સોસાયટીના બંધ મકાનમાં રૂ.1.59 લાખની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર

અંકલેશ્વરની ગૌતમ પાર્ક સોસાયટીના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વરની ગૌતમ પાર્ક સોસાયટીમાં રહેતા નીતિન જયકાંત જાદવ પોતાનું મકાન બંધ કરી પરિવાર સાથે ભરૂચ શહેરમાં કામ અર્થે ગયા હતા. આ સમય દરમ્યાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ તિજોરી તોડી તેમાંથી રોકડા રૂપિયા 15 હજાર તેમજ 1 લાખ 44 હજારના સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 1 લાખ 59 હજારની માલમત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતાં. આ બનાવમાં મકાન માલિક નીતિન જાદવે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, પોલીસે ચોરીનો ગુનો નોંધીને ચોરીનો ભેદ ઉકેલવા ડોગસ્કોર્ડ અને FSLની મદદ મેળવી છે.

 

બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી

Related posts

અંકલેશ્વરમાંવિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરાયું

bharuchexpress

ભરૂચની દેહગામ ચોકડી પાસે આવેલ અલ મુકામ સોસાયટી ખાતે ૭૩ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ

bharuchexpress

ભરૂચ: સેવાશ્રમ રોડ નું કામ એક વર્ષે પણ શરૂ ન થતા અનોખો વિરોધ.

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़