Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsઅંકલેશ્વર

અંકલેશ્વરના ગડખોલમાં ગોપીનાથ રો-હાઉસ ખાતે 47 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

અંકલેશ્વરના ગડખોલમાં ગોપીનાથ રો-હાઉસ ખાતે 47 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

અંકલેશ્વર ગડખોલના ગોપીનાથ રો-હાઉસ ખાતે 47 વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર ફાંસો બનાવી સિલિંગ ફેન સાથે લટકી આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. આ સમગ્ર મામલે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર તાલુકા ગડખોલ ગામ ખાતે ગોપીનાથ રો- હાઉસ ખાતે રહેતા નિશા પ્રવેશ પાલ પોતાના પરિવાર સાથે રહેતા હતાં. તેઓએ ગત રોજ 20મી ઓક્ટોબરના રોજ કોઈ અગમ્ય કારણોસર ધરે રૂમમાં સિલિગ ફેન સાથે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગેની જાણ તેમના પુત્ર દિપક પાલને થતા જ તેણે અંકલેશ્વર GIDC પોલીસ મથકમાં ખબર આપી હતી. બનાવની જાણ મળતા જ પોલીસનો સ્ટાફે સ્થળ પર પહોંચી મૃતદેહને નીચે ઉતારી પી.એમ અર્થે ખસેડાયો હતો. પોલીસે પ્રાથમિક અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

બ્યુરો રિપોર્ટ : શાહનવાઝ મસાણી

Related posts

ભરૂચ: કંબોલી ગામથી આમોદ તાલુકાના કોઠી-વાતરસા ગામને જોડતો માર્ગ બિસ્માર બનતા વાહનચાલકો સહિત ગ્રામજનો તેમજ શાળામાં અભ્યાસ કરતા છાત્રો પરેશાન થઈ રહ્યા છે.

bharuchexpress

કેવડિયામાં પીએમના પોસ્ટર્સની સુરક્ષા માટે હોમગાર્ડસ મૂકાયાં

bharuchexpress

આમોદમાં સ્ક્રેપના ગોડાઉનમાં બિહારના મજુરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં ચકચાર.

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़