Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

વાલિયાના કરસાડ ગામની ગામતળની જગ્યામાં ઉભો કરાયેલો પતરાનો શેડ દૂર કરવા માંગ

વાલિયાના કરસાડ ગામની ગામતળની જગ્યામાં ઉભો કરાયેલો પતરાનો શેડ દૂર કરવા મા

 

વાલિયા તાલુકાના કરસાડ ગામમાં ગામતળની જગ્યામાં ઉભો કરેલ પતરોનો શેડ દૂર કરવા મુદ્દે ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી છે.

વાલિયા તાલુકાના કરસાડ ગામની પાણીની ટાંકી પાસે રહેતા રાજેન્દ્રસિંહ છત્રસિંહ આડમારના ઘર પાસે સરકારી જમીન આવેલ છે. જે ગામતળની સરકારી જમીન ઉપર ગામના અંબુ ઉર્ફે મહેન્દ્રસિંહ નિયોરિયાએ કબજો જમાવી ત્યાં શેડ ઉભો કરી જમીન પચાવી પાડી છે. આ અંગે ગ્રામ પંચાયતના સરપંચ અને વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુ વસાવા તેમજ તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરવામાં આવી છે. પરંતુ અત્યાર સુધી કોઈપણ જાતના પગલાં લેવાની બદલે સરપંચ, તાલુકા પંચાયતના પ્રમુખ અને ટીડીઓ દબાણકર્તાને છવાતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે સાત મહિના વીતી જવા છતાં પણ કોઈપણ જાતના પગલાં ભરવામાં આવ્યા નથી. જેને પગલે આ દબાણકર્તાને છાવરનાર ભાજપના આગેવાનો અને ગામના સરપંચના ઘર પાસે અરજદારે ઉપવાસ કરવાના બેનરો ટાંગી દેતા ચર્ચાએ જોર પકડ્યું છે.

Related posts

જેસીઆઈ અંકલેશ્વર દ્વારા સ્પોર્ટ્સ મેલા નું આયોજન ધામધૂમથી કરવામાં આવ્યું..

bharuchexpress

કલેક્ટરશ્રી યોગેશભાઈ ચૌધરી તથા નેટવર્ક ડીજીએમ સુશ્રી વિણાબેન શાહ તેમજ મહાનુભાવોના હસ્તે લોન મંજૂરીપત્રો તેમજ ચેક એનાયત કરાયા

bharuchexpress

આજે મનુબર ગામમાં આવેલી યુવક મંડળ હાઇસ્કુલ માં વેકેશન દરમિયાન 3 વિદ્યાર્થીઓની તબિયત બગડતાં તંત્ર દોડતું થયું.

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़