Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

પુષ્ય નક્ષત્રને પગલે આજે ભરૂચમાં અનેરો ઉત્સાહ, જવેલર્સની દુકાનો પર ખરીદી માટે લોકોની ભીડ જામી

પુષ્ય નક્ષત્રને પગલે આજે ભરૂચમાં અનેરો ઉત્સાહ, જવેલર્સની દુકાનો પર ખરીદી માટે લોકોની ભીડ જામી

 

દિવાળી પહેલા ખરીદી માટે પુષ્ય નક્ષત્ર શુભ યોગ માનવામાં આવે છે. આ દિવસ વિશે કહેવાય છે કે, વણજોયું મુર્હૂત હોય છે, ત્યારે આજે પુષ્ય નક્ષત્રના દિવસે દરેક સારા મુર્હૂત હોવાથી લોકો ગાડી, ઘરેણાં કે ઘર સહિતની કોઈપણ સારી વસ્તુ ખરીદશે. ત્યારે આજના શુભ દિવસે શુભ મુર્હૂતમાં ભરુચવાસીઓએ પણ સોનાની ખરીદી કરી શુકન કર્યા હતા. ભરુચની વિવિધ જ્વેલર્સ શૉપમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. લોકોએ લાખો રૂપિયાની સોનાની ખરીદી કરી હતી.

એવું પણ કહેવાય છે કે શુભ યોગમાં રોકાણ કરવાથી ધનમાં વધારો થાય છે. જેમાં મકાન, જમીન, વાહન, દાગીના સહિત અન્ય વસ્તુઓની ખરીદી કરવી શ્રેષ્ઠ છે.કોરોનાના કપરા સમય બાદ આ દિવાળી ઉજવાતી હોવાથી ગ્રાહકો અને વેપારીઓમાં જોરદાર ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભરૂચના જાણીતા કલામંદિર જ્વેલર્સમાં મેનેજર રોનિશ શાહે જણાવ્યુ હતું કે, દિવાળી પૂર્વેના આ શુભ મુર્હૂત દરેક શુભ કાર્યો કરવા માટે ઉત્તમ ગણાય છે. ત્યારે લોકોએ આજે સોના- ચાંદીની ખરીદી કરી શુકન કર્યા હતા. કલામંદિર જ્વેલર્સ ખાતે આજના દિવસે અંદાજે સાડા ત્રણ કરોડ જેટલા સોનાનું વેચાણ થયું છે.

Related posts

સુરતથી દ્વારકા ધ્વજા રોહણ માટે જવા નીકળેલી આહિર સમાજની રેલીનું અંકલેશ્વરમાં સ્વાગત

bharuchexpress

વાગરા તાલુકાના દહેજ ગામની ઋષિરૂપ સોસાયટી ખાતેથી એક દિવસમાં જ વધુ એક પિસ્તોલ અને 5 કારતુસ સાથે 1 ઈસમનેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી 

bharuchexpress

અલંગ-સોસિયા શિપબ્રેકિંગ યાર્ડમાં અંતિમ સફરે આવતા જહાજ દેશી ચાચિયાઓ, મહિલાઓ સહિતની સ્થાનિક તસ્કર ગેંગ માટે કાળી કમાણીનું સાધન બની ગયુ છે.

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़