Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

દિવાળીમાં 1.25 ટકા વધારે ભાડા સાથે એકસ્ટ્રા ટ્રીપો

દિવાળીમાં 1.25 ટકા વધારે ભાડા સાથે એકસ્ટ્રા ટ્રીપો

કોરોનાની મહામારી બાદ દિવાળીના તહેવારની રંગત પુરબહારમાં ખીલી ઉઠી છે. દિવાળી કરવા માટે લોકો તેમના વતન જઇ રહયાં હોવાથી તેમની સુવિધા માટે એસટી વિભાગ તરફથી એકસ્ટ્રા ટ્રીપોનું સંચાલન શરૂ કરી દેવામાં આવ્યું છે. ભરૂચના જીએનએફસી ડેપો તથા અંકલેશ્વર જીઆઇડીસી ડેપો ખાતેથી હાલ રોજની 10 થી 30 જેટલી એકસ્ટ્રા ટ્રીપો દોડાવવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લો ઔદ્યોગિક દ્રષ્ટિએ હરણફાળ ભરી રહ્યો છે. અહીંયા બાંધકામ સહિતના અનેક મોટા પ્રોજેકટ ચાલી રહયાં છે.જિલ્લામાં દાહોદ,ગોધરા ઉપરાંત મધ્યપ્રદેશ તરફના હજારો શ્રમજીવીઓ અહીંયા રોજગારી કરવા આવતા હોય છે.

ત્યારે માદરે વતનમાં જવા માંગતા મુસાફરોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે ભરૂચ એસ.ટી વિભાગ દ્વારા એકસ્ટ્રા ટ્રીપોનું સંચાલન શરૂ કરાયું છે. હાલ ભરૂચ જીએનએફસી તથા અંકલેશ્વર જીઆઇડીસી ડેપો ખાતેથી હાલ રોજની 10 થી 30 જેટલી એકસ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવી રહી aછે.જેમાં પંચમહાલ અને દાહોદ,ગોધરા,અમદાવાદ,ઉત્તર ગુજરાત તરફ બસો દોડાવવામાં આવી રહી છે.

એસટી તંત્રને પર્વ દરમિયાન વધુને વધુ આવક થાય તે પ્રકારનું આયોજન હાથ ધરાયું છે. એસટી નિગમના અધિકારીઓએ જણાવ્યું હતું કે, મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખી આગામી દિવસોમાં બસોની સંખ્યા વધારાશે. એકસ્ટ્રા ટ્રીપોમાં નિયમિત ભાડા કરતાં 1.25 ટકા ભાડુ વધારે લેવામાં આવશે.

Related posts

લક્ઝુરિયસ કારમાં દારૂની ખેપ મારતાં 3 ઝડપાયા, ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર અંક્લેશ્વર તરફથી આવતી કાર ઝડપી પાડી

bharuchexpress

ભરૂચ:પર્યાવરણ જાગૃતિ માટે લગાવેલ બોર્ડ ચર્ચાનું કેન્દ્ર બન્યો,ભરૂચ ની જગ્યાએ તંત્રએ ભરુત લખેલા બોર્ડ લગાવી દીધા..!

bharuchexpress

CAE મીડિયા ગ્રુપ દ્વારા ઉમ્મીદ ગ્રુપના પ્રમુખ રિયાઝ ભાઈ નું ‘ધ એવોર્ડ ઑફ એક્સિલેન્ટ વર્ક ‘ નો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़