Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

નેત્રંગના કબીર ગામમાં તસ્કરોએ ખેડૂતના ઘરને નિશાન બનાવ્યું, તલનું વેચાણના મળેલા 1.93 લાખ રૂપિયા ઉઠાવી ગયા

નેત્રંગ તાલુકાના કબીર ગામમાં રહેતા ખેડૂતના મકાનને તસ્કરોએ નિશાન બનાવી તલ વેચાણમાંથી મળેલ રોકડા 1.93 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
મૂળ સુરતના અને હાલ નેત્રંગ તાલુકાના કબીર ગામમાં રહેતા ચતુર પોપટ વેકરિયા ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તારીખ-15મી ઓક્ટોબરના રોજ રાતે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ તેઓના મકાનના પાછળના દરવાજાની જાળી તોડી સ્ટોર ખોલી અંદર પ્રવેશ કર્યો હતો અને ખેડૂતે તલના વેચાણના રોકડા રૂપિયા 1.93 લાખની રકમ કબાટમાં મુકેલ હતી. જે તમામ રોકડા રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે ખેડૂતે નેત્રંગ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.

Related posts

આજ રોજ. જય ભારત રીક્ષા એસોસિએશન ના ઉપપ્રમુખ આબિદ મિર્ઝા દ્વારા નગરપાલિકા પ્રમુખ અમિતભાઈ ચાવડાનો આભાર વ્યક્ત કર્યો

bharuchexpress

અંકલેશ્વરમાં પોલીસે વાહન ચેકિંગ અભિયાન હાથ ધર્યું

bharuchexpress

સુરતમાં મેઘમહેર યથાવત્ત, ઉપરવાસમાં વરસાદથી ઉકાઈ ડેમમાં થઈ નવા નિરની આવક

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़