Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsરાજ્ય

શહેરમાં 6 દિવસમાં 700થી વધુ ઢોર પકડાયા પરંતુ તે છતાં પણ રસ્તે રઝડતા જોવા મળી રહ્યા છે ઢોર

રખડતા ઢોર મામલે હાઈકોર્ટે લાલા આંખ કરતા કોર્પેરેશને રખડતા ઢોર પકડવાની કાર્યવાહી કરી છે. છેલ્લા એક સપ્તાહથી આ ઝૂંબેશ ચાલી રહી છે જેમાં અત્યાર સુધીમાં અમદાવાદમાં 6 દિવસમાં 700થી વધુ રખડતા ઢોર પકડાયા છે તે છતાં પણ રસ્તે રઝળતા ઢોર જોવા મળી રહ્યા છે.

 

પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં 3 સિફ્ટમાં 21 ટીમો કામ કરી રહી છે છતાં પણ વસ્ત્રાપુર, ઘાટલોડીયા, બાપુનગર સહીતના વિવિધ વિસ્તારોમાં ઢોર જોવા મળી રહ્યા છે. ઢોર માલિકો દ્વારા એએમસીની ટીમ પર દાદાગીરી પણ કરવામાં આવી રહી છે જેથી પોલીસનો સહારો લઈને ઢોર પકડીને ડબ્બે પુરવામાં આવી રહ્યા છે. છતાં પણ હજુ ઢોર શહેરમાં રખડતા જોવા મળી રહ્યો છે.

 

ઢોર પકડવાની કામગિરીમાં અગાઉ ઢીલી નિતી રાખવામાં આવી હતી જેના કારણે છૂટોદોપ પશુ માલિકોને મળી ગયો હતો. કોર્ટની ટકોર બાદ આ કાર્યવાહી અત્યારે કરવામાં આવી છે. ઢોરવાળાઓમાં અત્યારે પશુઓ ડબ્બે પુરવામાં આવી રહ્યા છે પરંતુ ઢોરવાળા એક બાજુ ફૂલ થઈ રહ્યા હોવાથી નરોડા સહિતના વિસ્તારોમાં 3 નવા ઢોરવાળા બનાવવામાં આવશે.

 

સીએનસીડી ડીપાર્ટમેન્ટ દ્વારા જે ઢોર પકડાયા છે તે ત્રણ મહિના સુઘી છોડવામાં નહીં આવે. આ ઉપરાંત જે અડચણરુપ રહેશે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધીમાં જાહેરામાં ઘાસચારો વેચનાર, ઢોર પકડવામાં અડચણરુપ બનનાર 90થી વધુ લોકો સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે વધુ સઘન કામગિરી આ મામલે કરવામાં આવશે. ખાસ કરીને વિવિધ વિસ્તારોમાંથી અત્યારે 24 કલાક ઢોર પકડવામાં આવી રહ્યા છે. ત્યારે કોર્ટે પણ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

Related posts

ભરૂચના સાયકલિસ્ટોએ વિશ્વ શાંતિ માટે કરી 100 કિલોમીટર ની સાયકલ યાત્રા

bharuchexpress

કરજણ તાલુકાના મેસરાડ ગામના ક્રિકેટ મેદાન પર ભરૂચ – કરજણ પ્રમિયમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું રંગારંગ ઉદઘાટન, કરજણ પોર શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે BKPL ટુર્નામેન્ટ ખુલ્લી મુકાઇ.

bharuchexpress

આમોદમાં આવેલું પાલેશ્વર મહાદેવ મંદિર ૧૨૦૦ વર્ષ પહેલાં વણઝારા લોકોએ બનાવ્યું હતું.

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़