Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

ભરૂચ જિલ્લામાં બે વર્ષ બાદ વાજતે ગાજતે દશામાની મૂર્તિ‌ની ઘેર-ઘેર પધરામણી

ભરૂચ જિલ્લામાં બે વર્ષ બાદ વાજતે ગાજતે દશામાની મૂર્તિ‌ની ઘેર-ઘેર પધરામણી

ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લામાં આજે ગુરૂવારે અમાસથી દશામાંનું મહિલાઓ અને શ્રદ્ધાળુઓ દ્વારા શ્રદ્ધાભેર ઘેર-ઘેર સ્થાપન કરવામાં આવ્યું છે. બે વર્ષના કોરોના કાળ બાદ વિવિધ ઉત્સવો, તહેવારો, વ્રતની ઉજવણી કરવા ભરૂચ જિલ્લાવાસીઓ ઉત્સાહમય બન્યા છે. આજે અમાસથી દસ દિવસનુ આતિથ્ય માણવા દશામાની સવારી આવી ચઢતા બજારોમાં દશામાની પ્રતિમા સહિ‌ત વિવિધ સામગ્રીઓ ખરીદવા ભીડ ઉમટી પડી હતી. બજારોમાં ભકિતસભર માહોલ ફેલાઇ ગયો હતો.

અષાઢી અમાસથી દશામાના દસ દિવસના વ્રતનો પ્રારંભ થતો હોય બજારોમાં દશામાની મૂર્તિ‌ઓ તેમજ સાજ-શણગારનાં પ્રસાધનો અને અન્ય પૂજાપાની ચીજવસ્તુઓ ખરીદવા વ્રતધારી મહિ‌લાઓ અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વાજતે ગાજતે દશામાની પ્રતિમાઓ ખરીદી લોકો મૂર્તિ‌ઓ તેમના ઘરે લઇ ગયા હતા. ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લામાં સાંજે દશામાની નાની મોટી હજારો પ્રતિમાઓનું સ્થાપન કરી શ્રદ્ધાળુઓ દશામાના વ્રતનો રંગેચંગે પ્રારંભ કરશે.

Related posts

આમોદમાં સ્ક્રેપના ગોડાઉનમાં બિહારના મજુરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં ચકચાર.

bharuchexpress

ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત હજરત સૈયદ શાઉદ્દીન રહમતુલ્લાહ અલયહે, બાઉદ્દીન રહમતુલ્લાહ અલયહે તેમજ હજરત સૈયદ સુબહાનલ્લાહ રહમતુલ્લાહ અલયહેની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ, આ પ્રસંગે મોટી સંખ્યામાં અકિદતમંદોએ હાજરી આપી ધન્યતા અનુભવી હતી.

bharuchexpress

ભરૂચ : બી.પી.એલ કાર્ડ ધારકોને સસ્તુ અનાજ ન મળતા જયભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા મામલતદારને રજૂઆત

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़