Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

ભરૂચના વેજલપુરમાં મુખ્ય માર્ગ ખખડધજ બન્યો, સ્થાનિકોએ આક્રોશ સાથે રસ્તાનું સમારકામ કરવા રજૂઆત કરી

ભરૂચના વેજલપુરમાં મુખ્ય માર્ગ ખખડધજ બન્યો, સ્થાનિકોએ આક્રોશ સાથે રસ્તાનું સમારકામ કરવા રજૂઆત કર

 

ભરૂચના વેજલપુરમાં મુખ્ય માર્ગો ઉપર દર ચોમાસામાં ખાડાઓ પડી જાય છે. આ વખતે પણ ખાડાઓ પડ્યા હતા. જોકે, પાલિકાએ આ ખાડા પુર્યા બાદ હતી એ જ સ્થિતિ જોવા મળી રહી છે. જેથી તંત્ર અને પાલિકા વિશેષ ધ્યાન આપે તેવી લાગણી સાથે સ્થાનિકોએ રસ્તાનું સમારકામ કરવા રજૂઆત કરી છે.

ભરૂચ વેજલપુરના સ્થાનિકોએ પાલિકા તંત્ર અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે ખાડામાં ગયેલા માર્ગોને લઈ આક્રોશ ઠાલવ્યો છે. તેઓએ બિસ્માર રસ્તાને લઈ તેનું સમારકામ કરવાની માગ સાથે રજૂઆત કરી છે. માર્ગો ઉપર ખાડા વચ્ચે રસ્તો શોધવો પડે તેવી હાલત અંગે આક્રોશ વ્યક્ત કરી વેજલપુરમાં પાલિકા તંત્ર અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ ધ્યાન આપે તેવી ટકોર પણ કરાઈ છે. ખાડે ગયેલા રસ્તાના કારણે વાહનોને નુકસાની સાથે સ્થાનિકોને હાલાકી સહન કરવી પડતી હોય લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

Related posts

આ ત્રણ મહત્વના મુદ્દાઓ પર ભાજપ તૈયાર કરી રહ્યું છે હિસાબ, આ છે પાર્ટીની ‘મિશન ચૂંટણી’ની તૈયારી

bharuchexpress

આમોદ ના સિમરથા ગામની ધન્ય ધરા પર ત્રિ – દિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધર્મ પ્રેમીઓ દ્વારા ભાવભેર ઉજવણી કરવા મા આવી.

bharuchexpress

રાજપીપળા ચોકડીથી ખરોડ ગામ સુધી ખાડાથી સુરત જતી લેનમાં ટ્રાફિક જામ

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़