Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

વાલિયામાં ગણેશ સુગરના 85 કરોડના કૌભાંડમાં પૂર્વ ચેરમેન બાદ પરચેઝ ઓફિસર અને માર્કેટિંગ મેનેજરની ધરપકડ

વાલિયામાં ગણેશ સુગરના 85 કરોડના કૌભાંડમાં પૂર્વ ચેરમેન બાદ પરચેઝ ઓફિસર અને માર્કેટિંગ મેનેજરની ધરપક

 

વાલિયા વટારીયા સ્થિત ગણેશ સુગર ફેકટરીના રૂપિયા 85 કરોડના કથિત કૌભાંડમાં પૂર્વ ચેરમેન અને કોંગી અગ્રણી સંદીપ માંગરોલાની અગાઉ ધરપકડ બાદ ભરૂચ LCBએ સુગરના પરચેઝ ઓફિસર અને માર્કેટિંગ મેનેજર જયવીરસિંહ રાઠોડની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

વાલિયાની ગણેશ સુગર ફેકટરીમાં પૂર્વ ચેરમેન સહિત 9 લોકોએ 85 કરોડની આર્થિક ઉચાપત કરી હોવાની ફરિયાદ ગત વર્ષે નોંધાઇ હતી. ગત વર્ષે દિવાળી પહેલા જ પૂર્વ ચેરમેન અને કોંગી અગ્રણી સંદીપ માંગરોલાની ધરપકડ કરવામાં આવતા રાજકીય અને સહકારી ક્ષેત્રે ખળભળાટ મચી ગયો હતો.

હાલ પૂર્વ ચેરમેન જામીન ઉપર મુક્ત છે ત્યારે ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચનો તપાસનો રેલો ગણેશ સુગરના કર્મચારી સુધી પહોંચતા પુરાવાના આધારે ગણેશ સુગરમાથી ચાલુ ફરજ દરમિયાન માકેઁટીગ મેનેજર અને પરચેઝ ઓફીસર જયવિર રાઠોડની ધરપકડ કરવામાં આવી છે.

વાલિયા કોર્ટમાં જયવીરસિંહને રજૂ કરી એલ.સી.બી.એ વધુ તપાસ માટે 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રૂપિયા 85 કરોડના કથિત કૌભાંડનો રેલો ક્યાં સુધી પહોંચે છે અને હજી આ કથિત કૌભાંડમાં સંડોવણી બદલ કેટલા લોકોની આમાં ધરપકડ થાય છે તેની ચર્ચા રાજકીય અને સહકારી ક્ષેત્રે હાલ જોરશોરમાં શરૂ થઈ ગઈ છે.

Related posts

ભરૂચ ખાતે રાષ્ટ્રીય હ્યુમન રિસોર્સ કોન્ફરન્સ યોજાઈ, રી ઇમેજિનિંગ એચ. આર વિષય ઉપર દેશભરના વિદ્વાનોએ માહિતી આપી

bharuchexpress

ઝાડેશ્વર કન્યા શાળા ખાતે અતુલ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીનીઓને નિઃશુલ્ક નોટબુક વિતરણ કરાયું

bharuchexpress

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે કારમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો; 1ની અટકાયત 3 ફરાર

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़