Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking NewsOther

ભરૂચ જિલ્લાની પ્રજાને હવે મોબાઇલ કે વાહનચોરીની ફરિયાદ લઇને પોલીસ સ્ટેશન નહીં આવવું પડે, E-FIRનો પ્રારંભ

ભરૂચ જિલ્લાની પ્રજાને હવે મોબાઇલ કે વાહનચોરીની ફરિયાદ લઇને પોલીસ સ્ટેશન નહીં આવવું પડે, E-FIRનો પ્રારં

 

ગાંધીનગર એન.એફ.એસ.યુ.માં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે આજે શનિવારે ઈ-એફ.આઈ.આર.નો પ્રારંભ કરાવ્યો હતો. જે ઈ-એફ.આફ.આરનો ઈ-વર્ચ્યુઅલ કાર્યક્રમ ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલની અધ્યક્ષતામાં એસ.પી.ઓફીસ ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લા પોલીસ વડાએ આ ઈ-એફ.આઈ.આર. અંગે માહિતી આપી હતી. જેઓએ ભરૂચ જિલ્લા અને રાજયમાં છાશવારે મોબાઈલ અને વાહનોની ચોરીની ઘટનાઓ બનતી હોય છે. અંગે ઇ- એફ.આઈ.આર.માં ફરિયાદી સિટીઝન પોર્ટલ પર ફરિયાદ કરાવી શકશે.

આમાં માત્ર વાહન કે ફોન ચોરી અંગે જ ફરિયાદ કરી શકાશે અને આ ઓનલાઈન ફરિયાદ અપલોડ કરવાની રહેશે. ફરિયાદીને ઈમેલ તો SMSથી ફરિયાદ અરજી મળ્યાની જાણ પણ જેતે પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે.જો 72 કલાકમાં તેના નિકાલ ન થાય તો પેન્ડિંગ હોવા અંગેનો ઈમેલ પણ તરત જ પોલીસ અધિકારીઓને કરવામાં આવશે અને ત્યારબાદ 120 કલાક બાદ અરજી તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધવામાં આવશે. મોડું થયું હશે તો પોલીસ કર્મચારીઓ જવાબ આપવો પડશે.

Related posts

આમોદ તાલુકાના ગ્રામ્ય કોમ્પ્યુટર સાહસિક દ્વારા અચોક્કસ મુદતની હડતાળ

bharuchexpress

ભરૂચ: એ.આઈ.સી.સીના પૂર્વ મહામંત્રી દિપક બાબરીયાની અધ્યક્ષતામાં ભરૂચ કોંગ્રેસે કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર.

bharuchexpress

અંકલેશ્વર: બાકરોલ બ્રિજ નીચેથી મ્યાઉ મ્યાઉ ડ્રગ્સ સાથે 3 નશાના સોદાગરોને SOG એ ઝડપ્યા

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़