



આજરોજ તારીખ ૫-૦૬-૨૦૨૨ ના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પુરા ભારત દેશમાં ઉજવાઈ રહી છે. જેના ભાગરૂપે ભરૂચ ખાતે સાઈડલીસ્ટ અને સાથી હાથ બથાના ફાઉન્ડેશન દ્વારા ભરૂચ ના સંયુક્ત ઉપક્રમે ભરૂચના તથા વિશ્વના દરેક નાગરિકની જાગૃતિ માટે વૃક્ષારોપણનું આયોજન સંકટ મોથન. હનુમાન મંદિર. જુની મામલતદાર કચેરી સામે તથા ભરૂચના પટાગણમાં આશરે ૧૦૦ જેટલા નાના મોટા વૃક્ષોનું વૃક્ષારોપણનું કરવામાં આવ્યું હતું. તથા તુલસીના રોપા ભરૂચના નાગરિકોને ભેટ આપવામાં આવ્યા હતા બંને સંસ્થાના સભ્ય એ મોટી સંખ્યામાં હાજરી આપી વિશ્વ પર્યાવરણ દિનના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..
બ્યુરો રીપોર્ટ શાહનવાઝ મસાણી