Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

ભરૂચ હરિધામ સોખડાના હરિભક્તોની સરલ સ્વામી અને પ્રેમ સ્વામીની માફી તેમજ રાજીનામાંની માંગ..

હરિભક્તો એ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું….

ભરૂચ કલેકટર કચેરી ખાતે હરિધામ સોખડાના હરિભક્તોએ કોઠારી પ્રેમસ્વરૂપ સ્વામી દ્વારા પ્રબોધસ્વામીજી સાથે કરાયેલા કૃત્ય બદલ આવેદનપત્ર પાઠવી તેમને કાયદાકીય રીતે દૂર કરવાની માંગ કરી હતી…

સોખડા સ્વામિનારાયણ સંસ્થા માં પૂજ્ય હરિપ્રસાદ સ્વામી ની વિદાય બાદ વિવાદ સતત વધી રહ્યા છે. પ્રબોધ સ્વામી સાથે થયેલ દુર્વ્યવહાર બાદ હરિભક્તો માં રોષ જોવા મળી રહ્યો છે. હરિભક્તોએ સંસ્થાના બની બેસેલા પ્રેસિડેન્ટ પ્રેમસ્વરૂપ સ્વામી અને સરલ સ્વામીને સરકાર બરતરફ કરાવે તેવી લાગણી સાથેબ વભરૂચ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યુ હતું…. હરિભક્તોની લાગણી દુભાઈ હોય આ બન્ને સ્વામી માફી માંગી રાજીનામુ નહિ આપે તો હરિધામ મંદિરે આમરણાંત ઉપવાસ પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં સાપ ઘુસ્યો:નવા બનેલા બી-ડિવિઝનમાં સર્પ ઘુસતા ભાગદોડ; જીવદયા પ્રેમીએ પકડી સુરક્ષિત સ્થળે મુક્ત કર્યો

bharuchexpress

અંકલેશ્વરમાં દેસાઈ ફળિયા વિસ્તારમાં પીપળાનું મોટું વૃક્ષ ધરાશાયી; સ્થાનિકોમાં દુઃખની લાગણી ફેલાઈ

bharuchexpress

અંકલેશ્વર નગરપાલિકાના ઇજનેરની પુત્રી CBSEમાં ધો-12માં દેશમાં બીજા નંબરે

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़