Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી ઘઉંની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરાશે

ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી માર્કેટીંગ સીઝન ૨૦૨૨ ૨૩માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી પ્રતિ ક્વિન્ટલ રૂ।. ૨૦૧૫/ (પ્રતિ મણ રૂ।. ૪૦૩/-)ના ભાવથી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવનાર છે.

લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક કે ગ્રામ્ય કક્ષાએ VCEદ્વારા તથા તાલુકા કક્ષાએ પુરવઠા નિગમના ગોડાઉન ખાતે તા.૦૨/૦૩/૨૦૨૨ થી તા.૩૧/૦૩/૨૦૨૨ સુધી કરવામાં આવશે. તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતોને આથી જાણ કરવામાં આવે છે.
નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમુનો ૭, ૧૨, ૮ અની નકલ, ગામ નમુના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડુતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.

રાજ્યમાં ઘઉં પકવતા ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામપંચાયત અને તાલુકા કક્ષાએ પુરવઠા નિગમના ગોડાઉનનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે.
નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે.

ખેડૂતોએ નોંધણી માટે VCE ને કે ગોડાઉન કક્ષાએ કોઈ પણ રકમ ચૂકવવાની રહેતી નથી એમ નાયબ જિલ્લા મેનેજર(વર્ગ-૨), ગુ.રા.ના.પુ.નિગમ લી. ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે

Related posts

ભરૂચ : આમઆદમી પાર્ટી નો વધતી જતી મોંઘવારી સામે અનોખો વિરોધ.

bharuchexpress

ભરૂચ: કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને વળતર ચૂકવા અને સાચા આંકડા બતાવીને લોકોને વળતર ચૂકવવા કોંગ્રેસની માંગ

bharuchexpress

અંકલેશ્વર તાલુકાના હજાત ગામની સીમમાં ભરૂડી મંદિર સામે ઓ.એન.જી.સી.ના જંકશન પોઈન્ટની ક્રુડ ઓઈલની લાઈનમાં ભંગાણ સર્જી ઓઈલ ચોરીનો પ્રયાસ કરવા સાથે નુકશાન કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़