



અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી માટે ઈ-શ્રમ પોર્ટલ હેઠળ નોંધણી સંપૂર્ણ મફત છે
ભારત સરકારના કામ મંત્રાલય દ્વારા તા.૨૬/૦૮/૨૦૨૧ ના રોજ અસંગઠન શ્રમયોગીઓની નોંધણી માટે ઈ-શ્રમ પોર્ટલને લોન્ચ કરેલ છે. પહેલી વાર ૩૮ કરોડ જેટલી અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી કરવા એક વ્યવસ્થાના ભાગરૂપે જેમાં અસંગઠીત તથા સ્થળાંતરિત શ્રમયોગીઓની નોંધણી કરવામાં આવતો એટલું જ નહીં પણ કેન્દ્ર અને રાજ્ય રાકારો દ્વારા અમલી કરાઇ રહેલી વિવિધ સમાજ સુરક્ષાની યોજનાઓ અસંગઠિત શ્રમયોગીઓ સુધી પહોંચાડવામાં પણ મદદરૂપ ઘરો, eshran.gov.in પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવા માટે અસંગઠિત શ્રમયોગીઓએ આધાર કાર્ડ આધાર સાથે લીંક મોબાઇલ નંબર અને બેંક એકાઉન્ટની વિગતો આપવાની રહેશે. eSHRAM પોર્ટલ ઉપર અસંગઠિત શ્રમયોગીઓનું રજીસ્ટ્રેશન ત્રણ રીત થઇ શકે છે. (૧) સેલ્ફ રજીસ્ટ્રેશન એટલે કે સ્માર્ટ ફોન ઉપર જાતે (ર) કોમન સર્વિસ સેન્ટર મારફત (ક) ગ્રામ પંચાયત ખાતેના ઈ-ગ્રામ કેન્દ્રો મારફત થઈ શકે છે.
આ પ્રમાણે નોંધણી કરાવતા સ્થળ પર ઈ-શ્રમ કાર્ડ મળવાપાત્ર છે. ઈ-શ્રમ પોર્ટલ હેઠળ નોંધણી સંપૂર્ણ મફત છે. આ કાર્ડ માટે ૧૬ થી ૧૦ વર્ષની વચ્ચેની ઉમરના કોઇ પણ અસંગઠિત શ્રમયોગી નોંધણી કરાવી શકે છે. અસંગઠિત શ્રમયોગીઓમાં બાંધકામ શ્રમયોગીઓ, સ્થળાંતરીત શ્રમયોગીઓ. ડોમેસ્ટી વર્કર્સ, ખેત શ્રમયોગીઓ સ્વરોજગાર ધરાવતા શ્રમયોગીઓ સ્ટ્રીટ વેન્ડર્સ, નાના દુકાનદારો આશા વર્કર્સ, આંગણવાડી વર્કસ માછીમારો પ્લાન્ટેશન વર્કર્સ મીલ્ક મેન, મનરેગા અંતર્ગત કામ કરતા શ્રમયોગીઓ, રીક્ષા ચાલકો, મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ અન્ય સંબંધિત શ્રમયોગીઓનો સમાવેશ થાય છે.
ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા દરેક અસંગઠિત શ્રમયોગીને વર્ષ માટે રૂ.૨ લાખનો અકસ્માત વીમો મંજૂર કરવામાં આવશે. જો ઈશ્રમ પોર્ટલ પર નોંધાયેલા કોઇ શ્રમયોગીને અકસ્માત થાય તો અને મૃત્યુ કે કાયમી વિકલાંગતાની સ્થિતિમાં રૂ.૨ લાખ મળવા પાત્ર થશે અને અંશત વિકલગતાના કિસ્સામાં રૂ.૧ લાખ મળશે અને નોંધણી થયેથી શ્રમયોગીઓને ૧૨ અંકોના યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન) સાથેનું ઈશ્રમ કાર્ડ જારી થશે જે દેશભરમાં માન્ય ગણાશે. ભરૂચ જિલ્લના તમામ અસંગઠિત્ત શ્રમયોગીઓ તેખોની નોંધણી ૧) સેલ્ફ રજીસ્ટ્રેન એટલે કે, સ્માર્ટ ફોન ઉપર જાતે (૨) નજીક ના કોમન સર્વિસ સેન્ટર મારફત (3) ગ્રામ પંચાયત ખાતેના ઈ-ગ્રામ કેન્દ્રો મારફત અચુક કરાવે તેવી અપીલ ભરૂચના મદદનીશ શ્રમ આયુક્ત જે.એ.મકવાણા ધ્વારા એક અખબારી યાદીમાં કરેલ છે.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી