Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

ભરૂચ : બી.પી.એલ કાર્ડ ધારકોને સસ્તુ અનાજ ન મળતા જયભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા મામલતદારને રજૂઆત

 

ભરૂચ જીલ્લામાં બી.પી.એલ કાર્ડ ધારકોને સસ્તું અનાજ ન મળતા આજે જયભારત રિક્ષા એસોસિએશન દ્વારા મામલતદાર સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું.
આ લેખિતપત્રમાં જણાવ્યા અનુસાર કોરોના કાળમાં સરકાર દ્વારા ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને મદદ કરવાનો પ્રયત્ન કરી વિનામુલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું પરંતુ કેટલાક સસ્તી અનાજના દુકાનદારો દ્વારા બી.પી.એલ કાર્ડ ધારકોને અનાજ ન આપી સક્ષમ લોકોને આ અનાજ આપતા હોય અને જરૂરિયાતમંદ પરિવારો સસ્તા અનાજથી વંચિત રહી જતાં હોય આ બાબત જયભારત રિક્ષા એસોસિએશનના ધ્યાને આવતા મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું. બી.પી.એલ કાર્ડ ધારકો સસ્તા અનાજથી વંચિત ન રહે તે માટે મામલતદારને અપીલ કરી હતી. આ પ્રસંગે જયભારત રિક્ષા એસોસિએશનના પ્રમુખ સરફરાજ પટેલ, ઉપપ્રમુખ મિર્જા આબિદ બેગ, મંત્રી અતુલ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

ભરૂચના હજીખાના બજારમાં આવેલી વર્ષો જૂની શ્રેયસ હાઈસ્કૂલની દીવાલ ધરાશાયી, શાળાને સીલ મરાયું

bharuchexpress

ધારાસભ્ય અરુણસિંહ રાણા દ્વારા ગ્રંથતીર્થ ખુલ્લું મુકાયું ના.મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે તકતીનું અનાવરણ

bharuchexpress

સાબરમતી આશ્રમના નવીનીકરણના વિરોધ સાથે મહારાષ્ટ્રના સેવાગ્રામથી સાબરમતી સુધી નીકળેલી યાત્રા ભરુચ આવી પહોંચતા તેનું સ્વાગત કરાયું

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़