Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

ભરુચ: નબીપુર રેલવે સ્ટેશને મુસાફરોને પડી રહી છે હાલાકી, ડાઉન લાઇનના પ્લેટફોર્મનું કામ ત્રણ વર્ષથી પડ્યું ખોરંભે.

 

વેસ્ટર્ન રેલવે પર આવેલું ભરૂચ જિલ્લાનું નબીપુર રેલવે સ્ટેશન છે જ્યાં ડાઉન લાઇનના પ્લેટફોર્મના જીર્ણોદ્ધારનું કામ છેલ્લા ત્રણ વર્ષો થી ચાલે છે જે પૂરું થવાનું નામજ લેતું નથી. આ સ્ટેશને થી રોજીરોટી અને ધંધાર્થે જવા માટે નબીપુર અને આજુબાજુના ગામોની જનતા તેનો ઉપયોગ કરે છે. આ ખોરંભે પડેલા પ્લેટફોર્મના કારણે ડાઉન લાઇનના પ્લેટફોર્મ ઉપર થયેલા ખોડકામને કારણે મુસાફરોને બેસવા માટેની કોઈજ વ્યવસ્થા હાલમાં નથી. શિયાળો હોય કે ચોમાસુ હોય અથવા ધોખધમતો ઉનાળો હોય મુસાફરોએ ઉભા ઉભા જ ગાડીની આવવાની રાહ જોવી પડે છે.

વધારે કરુણતા તો ત્યારે સામે આવે છે જ્યારે અબાલ વૃદ્ધો અને નાના બાળકો ટ્રેન ની રાહ જોતા ઉભા હોય. આ અંગે નબીપુર ગ્રામ પંચાયતના સભ્ય અને નબીપુર રેલ રોડ પેસેન્જર એસો. ના સભ્ય યુસુફભાઈ બોરીયાવાળા એ D R M BRC અને GM વેસ્ટર્ન રેલવેનું ધ્યાન દોર્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ કામ માટે ત્રણ ત્રણ કોન્ટ્રાક્ટરો બદલાઈ ચૂક્યા છે અને GMCC દ્વારા 2017 – 18 મા મંજૂર થયેલું પ્લેટફોર્મ અને છાપરાનું કામ અધૂરું છોડી દેવામાં આવ્યું છે. હાલ લોકોમાં એકજ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે શું આ કામ હવે પૂર્ણ નહીં થાય ? રેલવે તંત્ર આ કામ પર સત્વરે ધ્યાન આપી જલડીમાં જલ્દી કામ પૂર્ણ કરાવે અને મુસાફરોને પડતી હાલાકી દૂર કરે

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

CAE મીડિયા ગ્રુપ દ્વારા ઉમ્મીદ ગ્રુપના પ્રમુખ રિયાઝ ભાઈ નું ‘ધ એવોર્ડ ઑફ એક્સિલેન્ટ વર્ક ‘ નો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા

bharuchexpress

લક્ઝુરિયસ કારમાં દારૂની ખેપ મારતાં 3 ઝડપાયા, ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર અંક્લેશ્વર તરફથી આવતી કાર ઝડપી પાડી

bharuchexpress

Best Astrological Service Provider Dev Bhavsar Astrologer

Admin

Leave a Comment

टॉप न्यूज़