Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

ને.હા.48 પર નબીપુર નજીક ટ્રક પલટી જતા અક્સ્માત સર્જાયો, ટ્રક પલ્ટી જતા વાહનવ્યવહારને અસર થવા પામી હતી…

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર નબીપુર નજીક એક ટ્રક પલ્ટી જતા અક્સ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તરફથી વડોદરા તરફ એક ટ્રક નં. GJ 05 BX 7202 વડોદરા તરફ જઈ રહી હતી. ટ્રકમાં કૃષિ ખાતરની ગુણો ભરેલી હતી.

ટ્રક ચાલકે સ્ટીયરિંગ અથવા અન્ય કોઈ કારણોસર કાબુ ગુમાવતા ટ્રક શ્રી શિવ કૃપા હોટલ પાસે પલટી ગઈ હતી. ટ્રક પલ્ટી જતા ટ્રકમાં ભરેલી ખાતરની ગુણો હાઇવે પર ફંગોળાઈ ગઈ હતી જેને લીધે હાઇવે ટ્રાફિકને થોડીવાર માટે અસર થવા પામી હતી. અકસ્માતની જાણ નબીપુર પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો…

બ્યુરો રિપોર્ટ : શાહનવાઝ મસાણી

Related posts

ભરૂચ SP ડો. લીના પાટીલે બદલીઓ નો વધુ એક સપાટો, ક્રાઇમ બ્રાન્ચના ત્રણેય PSI સહીત વધુ 11 ની બદલીના આદેશ કરવામાં આવ્યા

bharuchexpress

ભરૂચમાં 9 એક્સિડન્ટ ઝોનમાં દર વર્ષે સરેરાશ 250 લોકોના અકાળે મોત

bharuchexpress

યુદ્ધના 6 મહીના બાદ યુરોપ હવે પોતાના સંકટમાં વધુ ફસાયું

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़