Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

ને.હા.48 પર નબીપુર નજીક ટ્રક પલટી જતા અક્સ્માત સર્જાયો, ટ્રક પલ્ટી જતા વાહનવ્યવહારને અસર થવા પામી હતી…

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર નબીપુર નજીક એક ટ્રક પલ્ટી જતા અક્સ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તરફથી વડોદરા તરફ એક ટ્રક નં. GJ 05 BX 7202 વડોદરા તરફ જઈ રહી હતી. ટ્રકમાં કૃષિ ખાતરની ગુણો ભરેલી હતી.

ટ્રક ચાલકે સ્ટીયરિંગ અથવા અન્ય કોઈ કારણોસર કાબુ ગુમાવતા ટ્રક શ્રી શિવ કૃપા હોટલ પાસે પલટી ગઈ હતી. ટ્રક પલ્ટી જતા ટ્રકમાં ભરેલી ખાતરની ગુણો હાઇવે પર ફંગોળાઈ ગઈ હતી જેને લીધે હાઇવે ટ્રાફિકને થોડીવાર માટે અસર થવા પામી હતી. અકસ્માતની જાણ નબીપુર પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો…

બ્યુરો રિપોર્ટ : શાહનવાઝ મસાણી

Related posts

ભરૂચ : મરાઠી સમાજ દ્વારા શિવાજી મહારાજની 392મી જન્મજયંતિની નિમિત્તે ભવ્ય બાઇક રેલી યોજાય..

bharuchexpress

અંકલેશ્વર: મુખ્ય માર્ગો ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરી બેઠેલા શાકભાજી વાળાને પોલીસ દ્વારા હટાવવામાં આવતા મહિલાઓએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

bharuchexpress

આજરોજ તારીખ ૫-૦૬-૨૦૨૨ ના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પુરા ભારત દેશમાં ઉજવાઈ રહી છે.

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़