Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

ભરૂચ અને સુરતના ક્લામંદિર જવેલર્સમાં 2 ભેજાબાજોએ 4 નકલી બિસ્કિટ વેચી ઠગાઈ કરી, ફરિયાદ નોંધાઈ

ભરૂચ અને સુરતમાં ક્લામંદિર જવેલર્સમાં બે ભેજાબાજોએ ઠગાઈ કરી હતી. જેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 2 રાજસ્થાની ભેજાબાજોએ સોનાના 4 નકલી બિસ્કિટ વેચી અસલી સોનાની ચેઇન ખરીદી હતી. ભેજાબાજોએ રૂપિયા 1.90 લાખની ઠગાઈ કરી હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.
ભરૂચ અને સુરતમાં ક્લામંદિર જવેલર્સને બે રાજસ્થાની ભેજબજોએ બે વખત નિશાન બનાવ્યું હતું. જોકે, ત્રીજી વખત સુરત ખાતે તેઓ ફરીથી સોનાના નકલી 4 બિસ્કિટ વેચવા જતા ઝડપાઇ ગયા હતા. જેથી સુરતની ઉમરા પોલીસે મૂળ રાજસ્થાન અને હાલ સેલવાસ રહેતા ઠગ ગોટુ લાલ પ્રભુજી ગુર્જર અને કિશનલાલ છગનલાલ ગુર્જરની ધરપકડ કરી હતી.
ભરૂચ ક્લામંદિરમાં પણ 8 નવેમ્બરે આ બન્ને ભેજાબાજ પોતાની પાસે રહેલા સોનાના 4 નકલી બિસ્કિટ લઈ વેચવા આવ્યાં હતા. જેની સામે સોનાની 4 તોલાની ચેઇન ખરીદી હતી. જેઓ ગયા બાદ આ બિસ્કિટ સુરત મોકલતા તે નકલી હોવાનો ઘટસ્ફોટ થતા ભરૂચ ક્લામંદિરના બ્રાન્ચ મેનેજર રોનીશ ખાબિયાએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બન્ને ભેજાબાજો સામે સોનાના નકલી 4 બિસ્કિટ પધરાવી રૂપિયા 1.90 લાખની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે.

બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી

Related posts

ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૧૦ અને ૧૧ ની વચ્ચે આવેલ ગટરમાં રીક્ષા ખાબકી : મુસાફરોનો બચાવ.

bharuchexpress

ભરૂચ: ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરી આમ આદમી પાર્ટીએ મનાવ્યો શહીદ દિવસ

bharuchexpress

અંકલેશ્વર ની ખાનગી કંપની માં થયેલ ચોરી મામલે પાંચ ઇસમોની પોલીસે ધરપકડ કરી

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़