Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

નેત્રંગના ઇન્ચાર્જ મામલતદારે લીધી આકસ્મિક મુલાકાત, અધિકારીઓ થયા દોડતા- જુઓ કેમ ?

વાલિયા-નેત્રંગ તાલુકો અંતરિયાળ વિસ્તારમાં આવ્યો છે, જે તાલુકાઓમાં સરકારી ગોડાઉનમાંથી સસ્તા અનાજની દુકાનમાં પહોંચાડવામાં આવતો જથ્થો અનિયમિત પહોંચાડવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જે ફરિયાદોને ધ્યાનમાં રાખી નેત્રંગ મામલતદાર કચેરીના ઇન્ચાર્જ મામલતદાર નવનીત પટેલ વાલિયા ખાતે આવેલ સરકારી ગોડાઉનની આકસ્મિક મુલાકાતે આવી પહોંચ્યા હતા.
ઇન્ચાર્જ મામલતદાર નવનીત પટેલે ગોડાઉનના અધિકારી સુધાબેન વસાવાને જરૂરી સૂચનાઓ આપી અનાજનો જથ્થો નેત્રંગ તાલુકામાં વિતરણ કર્યા બાદ વાલિયા તાલુકામાં વિતરીત કરવા માર્ગદર્શન આપ્યું હતું અને અનાજના સેમ્પલ પણ લીધા હતા. તેમની આકસ્મિક મુલાકાતને પગલે અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.

બ્યુરો રીપોર્ટ: શાહનવાઝ મસાણી

Related posts

છઠ પૂજાના પર્વ નિમિત્તે ભરુચના ઔદ્યોગિક એકમોથી પરપ્રાંતીય કામદારો માદરે વતન જશે, પ્રત્યક્ષ અસર ઉદ્યોગોની ઉત્પાદન ક્ષમતા ઉપર પડશે

bharuchexpress

ભરૂચ: જિલ્લા કક્ષાની મેન્યુઅલ સ્કેવેન્જર્સ તકેદારી સમિતિની બેઠક જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને મળી હતી.

bharuchexpress

ભરૂચ : ઝઘડિયાના રતનપોર ગામ નજીક લકઝરી બસ નાળાની રેલિંગ સાથે ટકરાઈ

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़