Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

સમસ્ત વણકર સમાજ દ્વારા ભરૂચના નવેઠા ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહ તથા પરિચય પસંદગી મેળો યોજાયો

ભરૂચ સમસ્ત વણકર સમાજ ભરૂચ દ્વારા નવેઠા ખાતે વણકર સમાજના તેજસ્વી તરલાઓનો સન્માન સમારોહ તથા લગ્નોત્સુક યુવક યુવતીઓનો પરિચય પસંદગી મેળો યોજાયો હતો.
વણકર સમાજના અગ્રણી અને સામાજિક આગેવાન ધનજીભાઈ પરમારની અધ્યક્ષતામાં યોજાયેલ વિદ્યાર્થી સન્માન સમારોહ અને પરિચય પસંદગી મેળો યોજાયો હતો. જેમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતપટેલે ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવનની અન કહી વાતો કહી હતી.
ધારાસભ્ય અરુણસિંહ રણાએ વણકર સમાજના પ્રયાસને આવકારી શુભેચ્છાઓ આપી હતી. ભાજપના જિલ્લા પ્રમુખે પણ બાબાસાહેબના કારણે સમાજના વિકાસનો માર્ગ ખુલ્યો હોવાનું જણાવ્યુ હતું. જ્યારે સામાજિક આગેવાન ધનજીભાઈ પરમારે સમાજના યુવાનોને શિક્ષણ મેળવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી સફળતા મેળવવા હાકલ કરી હતી.
કાર્યક્રમમાં વણકર સમાજના વિવિધ ઉચ્ચ અભ્યાસ કરનાર અને બોર્ડની પરીક્ષાઓમાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે પરિચય પસંદગી મેળો યોજાતા તેમાં યુવક યુવતીઓ પણ ઉત્સાહભેર જોડાયા હતા.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી

Related posts

ભરૂચના સાયકલિસ્ટોએ વિશ્વ શાંતિ માટે કરી 100 કિલોમીટર ની સાયકલ યાત્રા

bharuchexpress

ભરૂચ : આમઆદમી પાર્ટી નો વધતી જતી મોંઘવારી સામે અનોખો વિરોધ.

bharuchexpress

ભરૂચ SP ડો. લીના પાટીલે બદલીઓ નો વધુ એક સપાટો, ક્રાઇમ બ્રાન્ચના ત્રણેય PSI સહીત વધુ 11 ની બદલીના આદેશ કરવામાં આવ્યા

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़