Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

સુરતથી દ્વારકા ધ્વજા રોહણ માટે જવા નીકળેલી આહિર સમાજની રેલીનું અંકલેશ્વરમાં સ્વાગત

સુરત થી દેવ ભૂમિ દ્વારકા ખાતે ધ્વજા આરોહણ માટે આહીર સમાજ ના આગેવાનો ફોર વ્હીલ લઇ નીકળ્યા છે 300 ફોર વ્હીલ નો કાફલો અંકલેશ્વર ની યુપીએલ ચોકડી ખાતે આવી પહોંચતા અંકલેશ્વર આહીર સમાજ ના આગેવાનો એ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ અંકલેશ્વરનો આહીર સમાજ ના આગેવાનો પણ ધ્વજા આરોહણ કાર્યક્રમ માં જોડાયા હતા. રવિવાર ના રોજ નૂતન ધ્વજારોહણ કાર્યક્રમ નું આયોજન આહીર સમાજ દ્વારા કરવામાં આવ્યું છે.
સુરત ખાતે થી દેવભૂમિ દ્વારકા ના રઘુભાઇ હુંબલ સમાજ ના અન્ય આગેવાનો સાથે દેવભૂમિ દ્વારકા ખાતે રવાના થયા હતા ,300 ફોર વ્હીલ ના કાફલા સાથે નીકળેલી યાત્રા અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં હાઇવે પર યુપીએલ ચોકડી પર અંકલેશ્વર આહીર સમાજ ના નાગજીભાઈ લાડુમોર ,સોમદાસ બાપુ ,સાજન આહીર સહિતના આગેવાનો અને ભાજપ ના આગેવાનો એ રઘુભાઇ હુંબલ સહિતના આગેવાનો નું સ્વાગત કર્યું હતું અને અંકલેશ્વર ના આહીર સમાજ ના આગેવાનો પણ 30 જેટલી ફોર વ્હીલર સાથે ધ્વજા આરોહણ માં જોડાય ને દેવભૂમિ દ્વારકા ખાતે રવાના થયા હતા.

બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી ભરૂચ

 

Related posts

વાગરા તાલુકાની ૧૪ પ્રાથમિક શાળાઓમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવાયો

bharuchexpress

ભરુચ: ડીસ્ટ્રીક કો ઓપરેટીવ બેંક ખાતે રાષ્ટ્રીય કિસાન મોરચાના કારોબારી સભ્યની અધ્યક્ષતામાં યોજાયો નમો કિસાન કાર્યક્રમ

bharuchexpress

રાષ્ટ્રનિર્માણ માટે બાબાસાહેબ આંબેડકરનું યોગદાન અવિસ્મરણીય છે -: મંત્રી મનીષાબેન વકીલ

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़